Saturday, March 3, 2012

ઊછળતાં મોજાં પર પછડાતી જિંદગી..

યા અલ્લાહ ઠંડ લગ રહી હૈ!’ દરિયાઈ પવનના સુસવાટાથી થથરી ગયેલા બાવીસ વર્ષના બિહારી મુસ્લિમ મોહમ્મદ સિરાજથી બોલાઇ ગયું ત્યારે ૩૦૦ ટન ઘઉં ભરેલું બાર્જ (માલવાહક જહાજ) જામનગરના બેડી બંદરથી ખાસ્સું દૂર પહોંચી ગયું હતું. વહેલી સવારના પોણા ચાર વાગ્યા હતા અને આકાશના કાળા ભમ્મર વાદળો પાછળ ચંદ્ર અલોપ થઈ ગયો હતો. કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. ક્યારેક વાદળાં વરસી જતાં હતાં. ચમકી જતી વીજળીના તેજલિસોટામાં દૂર ઊભેલી પરદેશી શિપ ‘વન્ડર’ પળવાર માટે ઝબકીને અલોપ થઈ જતું હતું. બેડી બંદર પણ હવે દેખાતું ઝાંખું થઈ ગયું હતું. ચડ્ડીભેર બાર્જમાં ચઢેલા મોહમ્મદ સિરાજને મનોમન પસ્તાવો થતો હતો કે સાથી મજુર મોહમ્મદ અબ્દુલની જેમ ગંજીફરાક પહેર્યું હોત તો થોડી રાહત લાગત. સિરાજના મનમાં ઊઠતા વિચારને પામી ગયો હોય તેમ મોહમ્મદ અબ્દુલે જરા મોટા અવાજે હાકલ મારી: ‘સિરાજ, બોરીયોં (ઘંઉની ગૂણી) કે બીચ જા કર બૈઠ જા!’ બાર્જ પર ચાલતો સિરાજ ઘઉંની ગૂણીઓની આડશમાં જવા માટે બાર્જના કિનારા તરફ ગયો તો ધસમસતા આવેલા એક મોજાંની છાલકે તેને ભીંજવી નાખ્યો. સિરાજના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આવી રીતે દરિયાઈ મોજું જો બાર્જ પર પછાડાતું રહે તો... ‘ઇધર આજા!’ બેડીબંદરની તરફ નજર ટેક્વીને વિચારે ચઢી ગયેલા સિરાજને ઘઉંની ગૂણીઓ વચ્ચે બેઠેલા ત્રીજા સાથીદાર મોહમ્મદ મેરાજે બોલાવ્યો ત્યારે ઘડીભર સિરાજ કોઈ પ્રતિભાવ ન દેખાડી શક્યો. તેને ઈચ્છા થઈ કે ઉછળતા મોજાંની એક છાલકે તેને ભીંજવી દીધો. એ બાબતે બંને સાથીઓનું ધ્યાન દોરે પણ પોતે ડરપોકમાં ખપી જશે એવી ગણતરીથી ચૂપચાપ મેરાજની નજીક જઈ તેણે ઘઉંની ગૂણીઓની આડશ લઈ લીધી. હવે ઠંડી ઓછી લાગતી હતી. રાતના અંધકાર કે દરિયાઈ સૂસવાટાનો ડર તો સિરાજને છ માસના અનુભવ પછી નીકળી ગયો હતો. તેણે મેરાજ તરફ જોયું. એ આંખો મીંચીને પડ્યો હતો. મેરાજ અને અબ્દુલ બંને સગા ભાઈઓ હતા. બિહારના અગડીયા જિલ્લાની બેકારીથી થાકી વરસ દી’ પહેલાં બંને ભાઈઓ રોજીની તલાશમાં ગુજરાત આવ્યા હતા. જામનગરની એક મોટી શિપિંગ કંપનીમાં કામ મળ્યા પછી તેમણે સિરાજને પણ તેડાવી લીધો હતો. સિરાજ બંને ભાઈઓનો કુટુંબી સગો થતો હતો. દરિયાઈ કામનો તો ત્રણમાંથી કોઈને અનુભવ નહોતો. ત્રણેય પાસે માત્ર કાંડાંની તાકત હતી. કામ પણ એવું જ મળી ગયું. બાર્જમાં માલસામાન ભરીને શિપમાં ખાલી કરી દેવાનું. બાર્જના બીજા છેડે ઊભેલા મોહમ્મદ અબ્દુલની આંખો બાર્જને ખેંચી જતાં ટગ પર હતી. પરદેશી શિપ ‘વન્ડર’ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તેણે બીડી સળગાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો અને પછી એક ઊંડો નિ:સાસો નાખીને વિચાર્યું: શિપમાં લોડિંગ કરવા માટે પોતાના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જનો વારો જલ્દી આવી જાય તો સારું કારણ કે અષાઢ મહિનામાં દરિયાના પેટ પરથી જલ્દી ઊતરી જવાય એવું એકાદ વરસના અનુભવ પછી આ બિહારી સમજી ગયો હતો. જો કે વહેલી સવારે, મોં સૂઝણાં ટાણે, બાર્જ પરદેશી શિપના દોરડાથી બંધાઇ ગયું અને ટ્રક ફરી બેડીબંદર જવા રવાના થઈ ગઈ ત્યારે મોહમ્મદ અબ્દુલને તેના સગાભાઈ મેરાજ કે કુટુંબી સિરાજને ક્યાં ખબર હતી કે જે અરબી સમુદ્રના પર પટ પર તેમનું બાર્જ ઊભું છે, તેના સેંકડો નોટિકલ માઇલ દૂર ૨૩૦ કિલોમીટરની ઝડપે કેન્દ્રિત થયેલું વાવાઝોડું તેમની તરફ ધસમસતું આવી રહ્યું છે. *** એ ૧૭મી જુન ૧૯૯૬ની સવાર હતી. અબ્દુલ, મેરાજ અને સિરાજ સાથેના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જને પરદેશી શિપના દોરડે બાંધી દેવામાં આવ્યું હતું કારણકે બીજા બાર્જમાંથી શિપમાં માલ ચઢાવાતો હતો. સિદ્ધિ વિનાયક બારામાં ઊભું રહી ગયું હતું. એ દિવસે સવારથી વાતાવરણનો ચહેરો બદલી ગયો હતો અને તેનો અણસારો દરિયાની છાતી પર ઊભેલા ત્રણેય બિહારીઓને આવી ગયો હતો. બપોર સુધીમાં વાતાવરણ વધારે ખરાબ થઈ ગયું. પવનની ઝડપ બેસુમાર વધી ગઈ. પૂરા સૌરાષ્ટ્ર- કચ્છમાં એ દિવસે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. અમદાવાદમાં આ ઝડપ ૮૫ કિલોમીટરની નોંધાઈ. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ઊભા કરાયેલાં સરકસના તોતિંગ તંબૂને ચીરી ગયેલા પવનથી જ જાણતલો સમજી ગયા હતા કે આવનારી કલાકો ભારોભાર ટેન્શનની હશે. એ દિવસે આંધ્રપ્રદેશમાં તીવ્ર વાવાઝોડું ફૂંકાયું! સત્તરમી જુનની એ જ સાંજે હવામાન ખાતાએ કાળવાણી ઉચ્ચારી કે અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું કાઠિયાવાડ ભણી આવી રહ્યું છે અને તેની સૌથી તીવ્ર અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર દેખાશે. ધડાધડ ઇન એકશનની મોસમ શરૂ થઈ ગઈ. રેડિયો ચેતવણી આપવા લાગ્યો. અધિકારીઓ એલર્ટ થઈ ગયા. મીણબત્તીઓ હાથવગી અને ફાનસો કેરોસીનથી તરબતર થઈ ગયાં. બંદરો પર ચેતવણીનાં સિગ્નલો અપાવા લાગ્યા. પોર્ટ ઓફિસરોએ ખલાસીઓને દરિયામાં જતા રોકવા માંડ્યા. દરિયે ગયેલાં શિપ, વહાણને વોકીટોકીથી મેસેજ આપી પાછા બોલાવી લેવાયા. બાર્જીસને માલસમેત કાંઠે લાંગરી દેવામાં આવ્યા પણ પરદેશી શિપમાં ઘઉં ઠાલવવા ગયેલું ‘સિદ્ધિ વિનાયક’ બાર્જ કોઈના દિમાગમાં આવ્યું નહીં. આ બાર્જ જે કંપનીનું હતું, તેની પાસે બીજાં ચાલીસેક બાર્જ હતા. મોટા વહીવટને કારણે કદાચ, કંપનીના માલિકો પોતાના બાર્જ પર રહેલાં ત્રણ વર્કરને ભૂલી ગયા હશે? એ વખતે કંપનીના માલિકે મને કહેલું કે, આ કોઈ મોટી વાત નથી. દરિયાના ધંધામાં આવા બનાવ તો બનતાં રહે છે.કેવા બનાવ?

ચૌદ વરસનો છોકરો

હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ચૌદ વરસની કૂણી કૂંપળો ફરકાવનાર એક ચારણ-તરુણે ભાવનગર રાજ્યના સર્વેસર્વા ગણાતા દીવાન, પટ્ટણી સાહેબને એક જ શબ્દથી ચોંકાવી દીધા. ભલભલા મુત્સદ્દીઓ અને રાજ-રજવાડાંને આંજી દેનાર પટ્ટણી સાહેબ છાને ખૂણે હબક ખાઇ ગયા. ચૌદ વરસના છોકરડા ગણાતા એ તરુણે પટ્ટણી સાહેબને વિચારતા કરી દીધા. ‘પટ્ટણી સાહેબ, આપ કહો છો કે ચારણો રાજ કરતાં બુદ્ધિશાળી ન હોય પણ સાચી વાત એ છે કે ચારણો રાજ કરતાં ઘણા બુદ્ધિશાળી છે. પણ એની પાસે આપના જેવાં બળવાન નસીબ નથી. માત્ર થોડી પળો માટે પણ આપના નસીબ અમારા કપાળે બેસે તો ચારણ કઇ બાબત છે એ સાબિત થઇ જાય પણ અમારી પાસે આપના જેવાં બળવાન નસીબ નથી માટે અમે યાચક બનીને આપની પાસે ન્યાય માગવા આવ્યા છીએ.’ બસ્સો ચારણોના ઘેરામાંથી નીકળીને દીવાન પટ્ટણી સાહેબ, આ યુવાનને તાજજુબથી જોઇ રહ્યા. માત્ર ચૌદની ઉંમરનો આ છોકરો ઉથાપી ન શકાય એવું સત્ય ઉચ્ચારી બેઠો. ડાહ્યા દીવાનની સમજણના ખૂણે ખૂણે ડંકા વાગી ગયા કે ‘વાહ યુવાન! ભાગ્યની તારી વાત હજાર વાર સાચી છે. પોતાનું દીવાનપદ બુદ્ધિ કરતાંય જોરૂકા નસીબના પ્રતાપે મળ્યું છે. ભટ્ટમાંથી પટ્ટણી થયો. બારાડી પંથકમાંથી આવીને ભાવનગરમાં વસ્યા. ભાગ્યે પડખું ફેરવ્યું. તે સૌ પ્રથમ ભાવનગર રાજવી તખ્તસિંહજીના કારભારપદે અને પછી દીવાનપદે. તખ્તસિંહજી ગયા અને પોતે બાળકુંવર કૃષ્ણકુમારસિંહજીના દીવાન વત્તા રખેવાળ? આખા રાજ્યની તમામ સત્તા દીવાન પાસે... બલિહારી છે નસીબની. જુવાન તું ખરેખર સાચ્ચો છે... ઘટનાનો સમય હતો. ઇ.સ. ૧૯૨૮ ની સાલનો કે અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલહાઉસીનો સૂરજ સોળે કળાએ હિંદ ઉપર તપતો હતો. ગુલામ અને અજ્ઞાન પ્રજાનો પૂરો ‘ઘાણ’ કાઢવા લોર્ડ ડેલહાઉસીએ ‘ખાલસા’ નીતિનો કાયદો ઘડીને અમલમાં મૂક્યો હતો. દેશનો કોઇ પણ નાગરિક પછી રાજા હોય કે રંક હોય. જો નિર્વંશ મરણ પામે તો એની તમામ મિલકત સરકારમાં દાખલ થાય. અંગ્રેજ સરકારના મિત્ર તરીકે ભાવનગર રાજ્યે પણ ખાલસાનો કાયદો અમલમાં મૂક્યો. રાજની પ્રજા હજી સ્તબ્ધ હતી પણ ચારણ જ્ઞાતિએ સત્યાગ્રહનાં હથિયાર સજાવ્યાં. બસો પાંચસો ચારણો એકઠા થઇને આ કાયદાને રદ કરાવવા માટે રાજધાનીમાં પહોંચ્યા અને અનશન આદર્યા. એકાદ બે દિવસને બદલે એકવીસ દિવસ થવા છતાં કોઇ હોંકારો મળતો નહોતો. ભાવિ રાજવી કૃષ્ણકુમારસિંહજી ચૌદની ઉંમરના સગીર હતા. ન્યાય કોણ આપે! પટ્ટણી સાહેબને મળવા આગેવાનો રાત-દિવસ દોડતા હતા પણ પટ્ટણી સાહેબ મળતા નહોતા. ચારણો પટ્ટણી સાહેબના બંગલે જાય તો પટ્ટણી સાહેબ રાજકુમારના લાલ બંગલે હોય અને લાલ બંગલે જાય તો પાછલા બારણેથી નીકળીને પોતાના બંગલે...! આગેવાનો અકળાયા હતા. બાળ મહારાજાને મળવા માટે પણ પટ્ટણી સાહેબની રજા જોઇએ અને પટ્ટણી સાહેબ તો મળતાય નથી! બળેવનો દિવસ હતો. કંટાળેલા આગેવાનોને બાતમી મળી કે પટ્ટણી સાહેબનાં પત્ની આજે બાળ મહારાજને રાખડી બાંધવા જવાનાં છે માટે ગાડી આડે ઊભીને રમાબાને વાત કરો તો ઉકેલ નીકળે અને વાત બની ગઇ. રમા બા ગાડી લઇને નીકળ્યાં. ચારણોએ ગાડીને ઘેરી લીધી. રમાબહેને વિગત જાણી અને કહ્યું ‘જો તમારે ન્યાય જોઇતો હોય તો પટ્ટણી સાહેબ આપી શકે. મારી પાસે સત્તા નથી.’ ‘નથી પણ આપ પટ્ટણી સાહેબને અમારી વાત સમજાવો.’ ‘પણ ભાઇઓ? મારી ગાડી શું કામે રોકો છો? મારે મોડું થાય છે.’ ‘ખબર છે બહેન! પણ અમને પટ્ટણી સાહેબ મળે એવું તો આપ કરી શકોને?’ ‘તો જવા દેશો?’ રમાબહેન હસ્યાં. ‘હા તો જવા દઇએ.’ ‘તો અરધી કલાકમાં તમને પટ્ટણી સાહેબ મળવા આવશે. મારા વચન ઉપર વિશ્વાસ છે?’ ‘હા બહેન’ ચારણો ખસી ગયા. ગાડી રવાના થઇ અને અરધા કલાકમાં પટ્ટણી સાહેબ મારતી મોટરે મળવા આવ્યા. ‘બોલો.’ ‘ન્યાય આપો, પટ્ટણી સાહેબ.’ ‘શાનો ન્યાય’ પટ્ટણી સાહેબ ખારા થયા. ‘ખાલસાના કાયદાનો. અમે એ કાયદો પાળવાના નથી.’ ‘એમ?’ પટ્ટણી સાહેબનાં ભવાં ખેંચાયાં. ‘રાજની વસતી લેખે કાયદાને માન આપવા તમે સૌ બંધાયેલા છો.’ ‘વસતીમાં અને ચારણમાં ફેર છે પટ્ટણી સાહેબ.’ ‘કેમ? ચારણો રાજ કરતાં વધારે સત્તા ધરાવે છે? વધારે અનુભવી છે?’ પટ્ટણી સાહેબ ધગ્યા. ‘હા સાહેબ? ચારણો તો તમારા ગોહિલો કરતાં જૂના છે. મોખડોજી હજી હમણા આવ્યા અને અમે તો સદીઓથી આંહી છીએ. દરિયાકાંઠો અમારો છે અમે સાચવી જાણ્યો છે. તમારી કરતાં વધારે સારી રીતે.’ ‘એટલે રાજ કરતાં તમારામાં વધારે બુદ્ધિ છે એમ?’ પટ્ટણી સાહેબનો ધારદાર પ્રશ્ન આગેવાનો ઉપર છવાઇ ગયો. સૌ અવાચક હતા, ત્યાં ચૌદ વરસનો એક તરુણ આગળ આવ્યો. પટ્ટણી સાહેબ સામે ઊભા રહીને એણે ઉત્તર દીધો. ‘બુદ્ધિ તો પટ્ટણી સાહેબ, રાજ કરતાં ચારણોમાં વધારે છે પણ લાચાર છીએ.’ ‘બોલ, કેવી રીતે?’ ‘તમારા જેવા નસીબ અમારી પાસે નહીં ને?’ ‘હેં?’ પટ્ટણી સાહેબ થડકી ગયા. ‘હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ‘બોલકો જુવાન’ પટ્ટણી સાહેબ બોલકો શબ્દ તો સાવ બોલવા ખાતર બોલી ગયા બાકી મન ઊંડાણેથી સાચ્ચો શબ્દ તો ‘બળુકો જુવાન’ જ નીકળ્યો હતો. એકાદ શ્વાસ લઇને પટ્ટણી સાહેબે પૂછ્યું ‘ક્યાંનો છે તરુણ.’ ‘મઝાદરનો’ ‘ચારણ છે?’ ‘હા જી ભાયા કાગનો દીકરો.’ ‘શું નામ?’ ‘દુલો-દુલા ભાયા કાગ.’ આગેવાનોએ જોયું કે દીવાન સાહેબ હજીય નાનકડા આ તરુણને તાકી રહ્યા હતા. ન્યાય મેળવવા માટે રાજધાનીમાં તપ ધરતા આગેવાનોને લાગ્યું કે છોકરાએ કમાલ કરી છે. આપણને મનમાં હતું કે છોકરો છે ભેગો આવે છે, ભલે આવે, પણ છોકરો અણધાર્યો નીકળી ગયો. પટ્ટણી સાહેબને જવાબ તો દીધો પણ એવો દીધો કે વિચારે ચડી ગયા! આવો જવાબ ઘડતા આપણને આખો દિવસ થાય છતાં સરખો બોલાય કે ન પણ બોલાય. જોજો, આ છોકરો મોટો થઇને જ્ઞાતિના પાણી અંબરે ચડાવશે. ‘માટે અમને ન્યાય આપો?’ તરુણ આગળ વધતો હતો. ‘ન્યાય આપવાનો આપે કોલ આપ્યો છે.’ ‘કોને?’ ‘ઉઘાડી રાખજો બારી’ નામની કવિતાને’ અને પટ્ટણીજી બોલે કારવે એ પહેલાં તરુણ દુલાભાઇએ પ્રભાશંકર રચિત કાવ્ય ગાઇ બતાવ્યું. ‘દુ:ખી કે દર્દ કે કોઇ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવાતમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.’ અને પટ્ટણી સાહેબે મોજડીઓ પહેરી. ચારણ સમૂહને ન્યાય અપાવવા બાળરાજવી કૃષ્ણ કુમારસિંહજી પાસે લાલ બંગલે લઇ ગયા અને ચારણો ખુશ થાય એવો રસ્તો કાઢી આપ્યો... ‘દુલાભાઇ!’ પટ્ટણીજીએ યુવાનને અમીભરી નજરે જોઇને કહ્યું. ‘મારા જેવું કોઇ પણ કામ હોય તો જરૂર મળજો.’ સમયને ખબર હતી કે તરુણનું આ ચાંદરણું માત્ર ભાવનગર રાજ્યને નહીં પણ સમગ્ર ગુજરાતને આવરી લે એવા તેજે તપીને મળવાનું હતું.

વર્તમાનમાં જીવો એ જ તમારું મેડિટેશન ..........જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે‏

દરેક ધર્મનું બહારનું સ્વરૂપ દેશ-કાળની સ્થિતિમાં બદલાતું રહે છે. જો કંઈ બદલાતું ના હોય તો તે છે તેના અંદર રહેલું અધ્યાત્મ. અધ્યત્મ હંમેશાં સામાયિક હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આજે જે આપણી પાસે છે તેને એક ભેટની જેમ ખોલવાની કળા આપણને આવડવી જોઈએ. મેડિટેશનનો એક અર્થ એ છે કે તે ક્ષણમાં જીવવું જે વર્તમાનમાં છે. ભગવાન મહાવીરે આને સામાિયક કહ્યું છે અને બુદ્ધે તેને જ બોધ નામ આપ્યું છે, પરંતુ ધ્યાન એમ નહીં મેળવી શકાય. તેના માટે કેટલીક સીડીઓ ચઢવી પડશે. જેમાંથી એક છે પવિત્રતા. મુસ્લિમ ફકીરો હદીસનો ઉલ્લેખ કરીને કહે છે કે જે વ્યક્તિ હજ કરે અને તેમાં કોઈ પાપની વાત ન કરે, અલ્લાહની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરે તો તે એવો પવિત્ર અને સ્વચ્છ થઈને પાછો ફરશે, જેવો કે જન્મ સમયે બિલકુલ નિરપરાધ હતો. અહીં પણ પવિત્રતા પર ભાર મુકાયો છે. પવિત્રતા, ધ્યાનને સરળ બનાવે છે. ધ્યાન લગાવવા માટે પગથિયાં ચઢવા જોઈએ, સીધો કૂદકો મારવાનો પ્રયાસ કરવો નહીં. બુદ્ધ તેમના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તેમણે એક ગામનું સરનામું પૂછ્યું. જુદા-જુદા ગામના લોકોએ અંતરને ટૂંકું કરીને બતાવ્યું. ‘બસ થોડે દૂર જ છે’ આ સાંભળતાં-સાંભળતાં તેમને ઘણે દૂર સુધી જવું પડ્યું. શિષ્યોએ બુદ્ધને કહ્યું કે ગામના લોકો જુઠ્ઠા અને બેઈમાન છે. બુદ્ધ બોલ્યા, તમે ખોટું સમજી રહ્યા છો, જો તેઓ પહેલા જ એમ કહી દેત કે ગામ ઘણે દૂર આવેલું છે તો આપણે થાકી જતા. થોડા થોડા અંતરની વાતે આપણી હિંમત જાળવી રાખી. બસ આવી રીતે જ ધ્યાન માટે પવિત્રતાની સીડી પર થોડો થોડો સમય રોકાવું પડશે. દરેક ધર્મ અંદરથી તો લગભગ એક જ વાત કરે છે. *********************************************************** ****************************************** જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે Jivan Panth આજે સાધન, સંસાધન અને સુવિધાઓમાં કોઈ ચીજની કમી નથી. આમ છતાં પણ આપણા દેશમાં અમીર-ગરીબ વચ્ચેની ખીણ બહુ ઊંડી છે. થોડા દિવસ અગાઉ એક વિદેશયાત્રા દરમિયાન નાઇજિરિયામાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની પ્રગતિ જોઈને તેમને સવાલ પૂછ્યો કે તમે ભારત છોડીને અહીં શા માટે વસી ગયા છો? તેમનો જવાબ હતો કે ભારતમાં જેટલી તકો છે તેના કરતાં વિઘ્ન વધુ છે. ભ્રષ્ટાચાર તેમાંનો એક છે. તેમણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર તો વિદેશમાં પણ છે પરંતુ ભારતમાં તો ભ્રષ્ટ લોકો નાણાં પણ લઈ લે છે અને કામ પણ કરતા નથી. આપણે જ્યારે વિદેશયાત્રા પર હોઈએ ત્યારે આપણો દેશ ઘણી બાબતો માટે યાદ આવે છે. તેમાંથી એક છે આપણા દેશનો આધ્યાત્મિક શૃંગાર. ઘણી વખત એવું લાગે છે કે આધ્યાત્મિક જાગૃતિ જ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશે. યોગાચાર્ય બાબા રામદેવે ‘જાગો સ્વાભિમાન આંદોલન’ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જે અભિયાન ચાલુ કર્યું છે, તે કેટલીક રીતે યોગ્ય છે કે યોગથી જાગૃત થયેલા લોકો ઈમાનદારીને સારી રીતે સમજી શકશે. જેટલી તીવ્રતા સાથે ‘ઈમાનદાર બનો’ નો સંકલ્પ ફેલાશે તેટલી ભ્રષ્ટાચાર દૂર કરવામાં સરળતા રહેશે.ઉચ્ચ વિચારમાં ‘સાદગી’ શબ્દની આધ્યાત્મિક વ્યાખ્યાને સમજવી પડશે. એટલે કે ઈમાનદારી, સમજદારી અને બહાદુરીના ત્રણ ગુણ જ સાદગી છે. ભૌતિક યોગ્યતાઓ આપણને સુખ-સુવિધાઓથી સંપન્ન બનાવી દેશે, પરંતુ જો મગજની વિકૃતિ દૂર કરવી હોય અને સમગ્ર વ્યક્તિત્વ પ્રેમભર્યું રહે એવું કરવું હોય તો અધ્યાત્મ જ કામ લાગશે. આથી દરેક ભારતીયોએ યોગનો ઉપયોગ દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા માટે પણ કરવો જોઈએ.

જે કહ્યું માને

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું  ’મેહુલ’  અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે. માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ? પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ? આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

Vivek Kothiya
Mo : 09712833221