નળ બંધ કરવાથી પાણી બંધ થાય છે પણ ઘડિયાળ બંધ કરવાથી સમય બંધ થતો નથી.
Sardar Patel Friend's Club
Born: October 31, 1875 Died: December 15, 1950 Achievements: Successfully led Kheda Satyagraha and Bardoli revolt against British government; elected Ahmedabad's municipal president in 1922, 1924 and 1927; elected Congress President in 1931; was independent India's first Deputy Prime Minister and Home Minister; played a key role in political integration of India; conferred Bharat Ratna in 1991.
Monday, May 28, 2012
બસ એક પળ
જિંદગી મેં પલ પલ કિયા થા મેને જિસ પલ કા ઇન્તઝાર ,
વો પલ આયા ભી તો પલ દો પલ કે લિયે,
ઔર આકે ચલા ગયા પૂરી જિંદગી ભર કે લિયે,
ના જાણે કયું વો પલ વહી થમ કયું ના ગયા??
વો પલ આયા ભી તો પલ દો પલ કે લિયે,
ઔર આકે ચલા ગયા પૂરી જિંદગી ભર કે લિયે,
ના જાણે કયું વો પલ વહી થમ કયું ના ગયા??
સમયનો સદુપયોગ
એક ગામમાં એવો રીવાજ હતો કે ગામના કોઈ વ્યક્તિને એક વર્ષ માટે રાજા
બનાવવાનો અને વર્ષ પૂરું થયા બાદ તેને ગામની નદીને પેલે પાર આવેલી બંજર
જગ્યાએ મોકલી દેવાનો.વર્ષો વિતતા ગયા ને એક પછી એક જે રાજા બને તે બંજર
જગ્યાએ જઈને રીબાઇ રીબાઈ ને મરી જાય. એકવાર રાજા બનવાનો વારો એક સંતનો
આવ્યો તેને પોતાની સૂઝ વાપરી અને પોતાના રાજકારણ દરમિયાન પેલી બંજર જગ્યાને
હરિયાળી ભૂમિ બનાવી દીધી અને જયારે એક વર્ષ બાદ તેને ત્યાં મોકલવામાં
આવ્યો ત્યારે તે ત્યાં જઈને નિરાંતે રેહવા લાગ્યો.
સાર:- આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ જેથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બની
શકે. પેલા સંતે સમયનો સદુપયોગ કરીને બંજર જમીન હરિયાળી બનાવી જેથી તે ત્યાં
નિરાંતે પોતાનું જીવન વિતાવી શકે
જેટલો પ્રેમ…
જેટલો પ્રેમ તમારી પાસે થી મળે છે, એટલો વધારે પામવાની ઈચ્છા થાય છે,
પ્રેમ ની વાત તમારી સાથે કરતા ગયા જનમ નો સાથ હોય એવો આભાસ થાય છે,
પહેલી વાર થઇ રહ્યું છે અમારી સાથે આ, કે… પૂનમ ના ચાંદ ને નઝર સમક્ષ જોતા..
તમારો અને બસ તમારો જ ચેહરો મારી નજરો માં કેદ થાય છે….!!
પ્રેમ ની વાત તમારી સાથે કરતા ગયા જનમ નો સાથ હોય એવો આભાસ થાય છે,
પહેલી વાર થઇ રહ્યું છે અમારી સાથે આ, કે… પૂનમ ના ચાંદ ને નઝર સમક્ષ જોતા..
તમારો અને બસ તમારો જ ચેહરો મારી નજરો માં કેદ થાય છે….!!
મારા વહાલા દરિયા ને…!!!
આવતું હશે કોઈ તને મળવા માટે,
તું કિનારા પર એટલે જ આવતો હોઈશ,
તારી સામે ઉભેલી એને જોવા માટે,
કેટલા ઉમંગ થી તું ઉછળી ને આવતો હોઈશ,
નહિ આવી હોઈ એ આજે પણ ત્યાં,
એટલે જ ઉદાસ બની ને તું પાછો જતો હોઈશ.
તું કિનારા પર એટલે જ આવતો હોઈશ,
તારી સામે ઉભેલી એને જોવા માટે,
કેટલા ઉમંગ થી તું ઉછળી ને આવતો હોઈશ,
નહિ આવી હોઈ એ આજે પણ ત્યાં,
એટલે જ ઉદાસ બની ને તું પાછો જતો હોઈશ.
Saturday, March 3, 2012
ઊછળતાં મોજાં પર પછડાતી જિંદગી..
યા અલ્લાહ ઠંડ લગ રહી હૈ!’ દરિયાઈ પવનના સુસવાટાથી થથરી ગયેલા બાવીસ
વર્ષના બિહારી મુસ્લિમ મોહમ્મદ સિરાજથી બોલાઇ ગયું ત્યારે ૩૦૦ ટન ઘઉં ભરેલું બાર્જ
(માલવાહક જહાજ) જામનગરના બેડી બંદરથી ખાસ્સું દૂર પહોંચી ગયું હતું. વહેલી
સવારના પોણા ચાર વાગ્યા હતા અને આકાશના કાળા ભમ્મર વાદળો પાછળ ચંદ્ર
અલોપ થઈ ગયો હતો. કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. ક્યારેક
વાદળાં વરસી જતાં હતાં. ચમકી જતી વીજળીના તેજલિસોટામાં દૂર ઊભેલી પરદેશી
શિપ ‘વન્ડર’ પળવાર માટે ઝબકીને અલોપ થઈ જતું હતું. બેડી બંદર પણ હવે
દેખાતું ઝાંખું થઈ ગયું હતું. ચડ્ડીભેર બાર્જમાં ચઢેલા મોહમ્મદ સિરાજને મનોમન
પસ્તાવો થતો હતો કે સાથી મજુર મોહમ્મદ અબ્દુલની જેમ ગંજીફરાક પહેર્યું હોત તો
થોડી રાહત લાગત. સિરાજના મનમાં ઊઠતા વિચારને પામી ગયો હોય તેમ મોહમ્મદ
અબ્દુલે જરા મોટા અવાજે હાકલ મારી: ‘સિરાજ, બોરીયોં (ઘંઉની ગૂણી) કે બીચ જા
કર બૈઠ જા!’
બાર્જ પર ચાલતો સિરાજ ઘઉંની ગૂણીઓની આડશમાં જવા માટે બાર્જના કિનારા તરફ
ગયો તો ધસમસતા આવેલા એક મોજાંની છાલકે તેને ભીંજવી નાખ્યો. સિરાજના
શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આવી રીતે દરિયાઈ મોજું જો બાર્જ પર
પછાડાતું રહે તો...
‘ઇધર આજા!’ બેડીબંદરની તરફ નજર ટેક્વીને વિચારે ચઢી ગયેલા સિરાજને ઘઉંની
ગૂણીઓ વચ્ચે બેઠેલા ત્રીજા સાથીદાર મોહમ્મદ મેરાજે બોલાવ્યો ત્યારે ઘડીભર સિરાજ
કોઈ પ્રતિભાવ ન દેખાડી શક્યો. તેને ઈચ્છા થઈ કે ઉછળતા મોજાંની એક છાલકે તેને
ભીંજવી દીધો. એ બાબતે બંને સાથીઓનું ધ્યાન દોરે પણ પોતે ડરપોકમાં ખપી જશે
એવી ગણતરીથી ચૂપચાપ મેરાજની નજીક જઈ તેણે ઘઉંની ગૂણીઓની આડશ લઈ
લીધી. હવે ઠંડી ઓછી લાગતી હતી. રાતના અંધકાર કે દરિયાઈ સૂસવાટાનો ડર તો
સિરાજને છ માસના અનુભવ પછી નીકળી ગયો હતો. તેણે મેરાજ તરફ જોયું. એ
આંખો મીંચીને પડ્યો હતો.
મેરાજ અને અબ્દુલ બંને સગા ભાઈઓ હતા. બિહારના અગડીયા જિલ્લાની બેકારીથી
થાકી વરસ દી’ પહેલાં બંને ભાઈઓ રોજીની તલાશમાં ગુજરાત આવ્યા હતા.
જામનગરની એક મોટી શિપિંગ કંપનીમાં કામ મળ્યા પછી તેમણે સિરાજને પણ
તેડાવી લીધો હતો. સિરાજ બંને ભાઈઓનો કુટુંબી સગો થતો હતો. દરિયાઈ કામનો
તો ત્રણમાંથી કોઈને અનુભવ નહોતો. ત્રણેય પાસે માત્ર કાંડાંની તાકત હતી. કામ
પણ એવું જ મળી ગયું. બાર્જમાં માલસામાન ભરીને શિપમાં ખાલી કરી દેવાનું.
બાર્જના બીજા છેડે ઊભેલા મોહમ્મદ અબ્દુલની આંખો બાર્જને ખેંચી જતાં ટગ પર
હતી. પરદેશી શિપ ‘વન્ડર’ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તેણે બીડી સળગાવવાનો
વ્યર્થ પ્રયત્ન કર્યો અને પછી એક ઊંડો નિ:સાસો નાખીને વિચાર્યું: શિપમાં લોડિંગ
કરવા માટે પોતાના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જનો વારો જલ્દી આવી જાય તો સારું કારણ
કે અષાઢ મહિનામાં દરિયાના પેટ પરથી જલ્દી ઊતરી જવાય એવું એકાદ વરસના
અનુભવ પછી આ બિહારી સમજી ગયો હતો. જો કે વહેલી સવારે, મોં સૂઝણાં ટાણે,
બાર્જ પરદેશી શિપના દોરડાથી બંધાઇ ગયું અને ટ્રક ફરી બેડીબંદર જવા રવાના થઈ
ગઈ ત્યારે મોહમ્મદ અબ્દુલને તેના સગાભાઈ મેરાજ કે કુટુંબી સિરાજને ક્યાં ખબર હતી
કે જે અરબી સમુદ્રના પર પટ પર તેમનું બાર્જ ઊભું છે, તેના સેંકડો નોટિકલ માઇલ
દૂર ૨૩૦ કિલોમીટરની ઝડપે કેન્દ્રિત થયેલું વાવાઝોડું તેમની તરફ ધસમસતું આવી રહ્યું
છે.
***
એ ૧૭મી જુન ૧૯૯૬ની સવાર હતી. અબ્દુલ, મેરાજ અને સિરાજ સાથેના ‘સિદ્ધિ
વિનાયક’ બાર્જને પરદેશી શિપના દોરડે બાંધી દેવામાં આવ્યું હતું કારણકે બીજા
બાર્જમાંથી શિપમાં માલ ચઢાવાતો હતો. સિદ્ધિ વિનાયક બારામાં ઊભું રહી ગયું હતું.
એ દિવસે સવારથી વાતાવરણનો ચહેરો બદલી ગયો હતો અને તેનો અણસારો
દરિયાની છાતી પર ઊભેલા ત્રણેય બિહારીઓને આવી ગયો હતો. બપોર સુધીમાં
વાતાવરણ વધારે ખરાબ થઈ ગયું. પવનની ઝડપ બેસુમાર વધી ગઈ. પૂરા સૌરાષ્ટ્ર-
કચ્છમાં એ દિવસે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.
અમદાવાદમાં આ ઝડપ ૮૫ કિલોમીટરની નોંધાઈ. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ઊભા
કરાયેલાં સરકસના તોતિંગ તંબૂને ચીરી ગયેલા પવનથી જ જાણતલો સમજી ગયા હતા
કે આવનારી કલાકો ભારોભાર ટેન્શનની હશે. એ દિવસે આંધ્રપ્રદેશમાં તીવ્ર વાવાઝોડું
ફૂંકાયું! સત્તરમી જુનની એ જ સાંજે હવામાન ખાતાએ કાળવાણી ઉચ્ચારી કે અરબી
સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું કાઠિયાવાડ ભણી આવી રહ્યું છે અને તેની સૌથી તીવ્ર
અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર દેખાશે.
ધડાધડ ઇન એકશનની મોસમ શરૂ થઈ ગઈ. રેડિયો ચેતવણી આપવા લાગ્યો.
અધિકારીઓ એલર્ટ થઈ ગયા. મીણબત્તીઓ હાથવગી અને ફાનસો કેરોસીનથી તરબતર
થઈ ગયાં. બંદરો પર ચેતવણીનાં સિગ્નલો અપાવા લાગ્યા. પોર્ટ ઓફિસરોએ
ખલાસીઓને દરિયામાં જતા રોકવા માંડ્યા. દરિયે ગયેલાં શિપ, વહાણને વોકીટોકીથી
મેસેજ આપી પાછા બોલાવી લેવાયા. બાર્જીસને માલસમેત કાંઠે લાંગરી દેવામાં આવ્યા
પણ પરદેશી શિપમાં ઘઉં ઠાલવવા ગયેલું ‘સિદ્ધિ વિનાયક’ બાર્જ કોઈના દિમાગમાં
આવ્યું નહીં. આ બાર્જ જે કંપનીનું હતું, તેની પાસે બીજાં ચાલીસેક બાર્જ હતા. મોટા
વહીવટને કારણે કદાચ, કંપનીના માલિકો પોતાના બાર્જ પર રહેલાં ત્રણ વર્કરને ભૂલી
ગયા હશે? એ વખતે કંપનીના માલિકે મને કહેલું કે, આ કોઈ મોટી વાત નથી.
દરિયાના ધંધામાં આવા બનાવ તો બનતાં રહે છે.કેવા બનાવ?
ચૌદ વરસનો છોકરો
હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે
છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક
બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’
ચૌદ વરસની કૂણી કૂંપળો ફરકાવનાર એક ચારણ-તરુણે ભાવનગર રાજ્યના સર્વેસર્વા
ગણાતા દીવાન, પટ્ટણી સાહેબને એક જ શબ્દથી ચોંકાવી દીધા. ભલભલા મુત્સદ્દીઓ
અને રાજ-રજવાડાંને આંજી દેનાર પટ્ટણી સાહેબ છાને ખૂણે હબક ખાઇ ગયા. ચૌદ
વરસના છોકરડા ગણાતા એ તરુણે પટ્ટણી સાહેબને વિચારતા કરી દીધા. ‘પટ્ટણી
સાહેબ, આપ કહો છો કે ચારણો રાજ કરતાં બુદ્ધિશાળી ન હોય પણ સાચી વાત એ છે
કે ચારણો રાજ કરતાં ઘણા બુદ્ધિશાળી છે. પણ એની પાસે આપના જેવાં બળવાન
નસીબ નથી. માત્ર થોડી પળો માટે પણ આપના નસીબ અમારા કપાળે બેસે તો
ચારણ કઇ બાબત છે એ સાબિત થઇ જાય પણ અમારી પાસે આપના જેવાં બળવાન
નસીબ નથી માટે અમે યાચક બનીને આપની પાસે ન્યાય માગવા આવ્યા છીએ.’
બસ્સો ચારણોના ઘેરામાંથી નીકળીને દીવાન પટ્ટણી સાહેબ, આ યુવાનને તાજજુબથી
જોઇ રહ્યા. માત્ર ચૌદની ઉંમરનો આ છોકરો ઉથાપી ન શકાય એવું સત્ય ઉચ્ચારી
બેઠો. ડાહ્યા દીવાનની સમજણના ખૂણે ખૂણે ડંકા વાગી ગયા કે ‘વાહ યુવાન!
ભાગ્યની તારી વાત હજાર વાર સાચી છે. પોતાનું દીવાનપદ બુદ્ધિ કરતાંય જોરૂકા
નસીબના પ્રતાપે મળ્યું છે. ભટ્ટમાંથી પટ્ટણી થયો. બારાડી પંથકમાંથી આવીને
ભાવનગરમાં વસ્યા. ભાગ્યે પડખું ફેરવ્યું. તે સૌ પ્રથમ ભાવનગર રાજવી
તખ્તસિંહજીના કારભારપદે અને પછી દીવાનપદે. તખ્તસિંહજી ગયા અને પોતે
બાળકુંવર કૃષ્ણકુમારસિંહજીના દીવાન વત્તા રખેવાળ? આખા રાજ્યની તમામ સત્તા
દીવાન પાસે... બલિહારી છે નસીબની. જુવાન તું ખરેખર સાચ્ચો છે...
ઘટનાનો સમય હતો. ઇ.સ. ૧૯૨૮ ની સાલનો કે અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલહાઉસીનો
સૂરજ સોળે કળાએ હિંદ ઉપર તપતો હતો. ગુલામ અને અજ્ઞાન પ્રજાનો પૂરો ‘ઘાણ’
કાઢવા લોર્ડ ડેલહાઉસીએ ‘ખાલસા’ નીતિનો કાયદો ઘડીને અમલમાં મૂક્યો હતો.
દેશનો કોઇ પણ નાગરિક પછી રાજા હોય કે રંક હોય. જો નિર્વંશ મરણ પામે તો
એની તમામ મિલકત સરકારમાં દાખલ થાય. અંગ્રેજ સરકારના મિત્ર તરીકે ભાવનગર
રાજ્યે પણ ખાલસાનો કાયદો અમલમાં મૂક્યો. રાજની પ્રજા હજી સ્તબ્ધ હતી પણ
ચારણ જ્ઞાતિએ સત્યાગ્રહનાં હથિયાર સજાવ્યાં. બસો પાંચસો ચારણો એકઠા થઇને આ
કાયદાને રદ કરાવવા માટે રાજધાનીમાં પહોંચ્યા અને અનશન આદર્યા. એકાદ બે
દિવસને બદલે એકવીસ દિવસ થવા છતાં કોઇ હોંકારો મળતો નહોતો. ભાવિ રાજવી
કૃષ્ણકુમારસિંહજી ચૌદની ઉંમરના સગીર હતા. ન્યાય કોણ આપે!
પટ્ટણી સાહેબને મળવા આગેવાનો રાત-દિવસ દોડતા હતા પણ પટ્ટણી સાહેબ મળતા
નહોતા. ચારણો પટ્ટણી સાહેબના બંગલે જાય તો પટ્ટણી સાહેબ રાજકુમારના લાલ
બંગલે હોય અને લાલ બંગલે જાય તો પાછલા બારણેથી નીકળીને પોતાના
બંગલે...!
આગેવાનો અકળાયા હતા. બાળ મહારાજાને મળવા માટે પણ પટ્ટણી સાહેબની રજા
જોઇએ અને પટ્ટણી સાહેબ તો
મળતાય નથી!
બળેવનો દિવસ હતો. કંટાળેલા આગેવાનોને બાતમી મળી કે પટ્ટણી સાહેબનાં પત્ની
આજે બાળ મહારાજને રાખડી બાંધવા જવાનાં છે માટે ગાડી આડે ઊભીને રમાબાને
વાત કરો તો ઉકેલ નીકળે અને વાત બની ગઇ. રમા બા ગાડી લઇને નીકળ્યાં.
ચારણોએ ગાડીને ઘેરી લીધી. રમાબહેને વિગત જાણી અને કહ્યું ‘જો તમારે ન્યાય
જોઇતો હોય તો પટ્ટણી સાહેબ આપી શકે. મારી પાસે સત્તા નથી.’
‘નથી પણ આપ પટ્ટણી સાહેબને અમારી વાત સમજાવો.’
‘પણ ભાઇઓ? મારી ગાડી શું કામે રોકો છો? મારે મોડું થાય છે.’
‘ખબર છે બહેન! પણ અમને પટ્ટણી સાહેબ મળે એવું તો આપ કરી શકોને?’
‘તો જવા દેશો?’ રમાબહેન હસ્યાં.
‘હા તો જવા દઇએ.’
‘તો અરધી કલાકમાં તમને પટ્ટણી સાહેબ મળવા આવશે. મારા વચન ઉપર વિશ્વાસ
છે?’
‘હા બહેન’ ચારણો ખસી ગયા. ગાડી રવાના થઇ અને અરધા કલાકમાં પટ્ટણી સાહેબ
મારતી મોટરે મળવા આવ્યા. ‘બોલો.’
‘ન્યાય આપો, પટ્ટણી સાહેબ.’
‘શાનો ન્યાય’ પટ્ટણી સાહેબ ખારા થયા.
‘ખાલસાના કાયદાનો. અમે એ કાયદો પાળવાના નથી.’
‘એમ?’ પટ્ટણી સાહેબનાં ભવાં ખેંચાયાં.
‘રાજની વસતી લેખે કાયદાને માન આપવા તમે સૌ બંધાયેલા છો.’
‘વસતીમાં અને ચારણમાં ફેર છે પટ્ટણી સાહેબ.’
‘કેમ? ચારણો રાજ કરતાં વધારે સત્તા ધરાવે છે? વધારે અનુભવી છે?’ પટ્ટણી સાહેબ
ધગ્યા.
‘હા સાહેબ? ચારણો તો તમારા ગોહિલો કરતાં જૂના છે. મોખડોજી હજી હમણા આવ્યા
અને અમે તો સદીઓથી આંહી છીએ. દરિયાકાંઠો અમારો છે અમે સાચવી જાણ્યો છે.
તમારી કરતાં વધારે સારી રીતે.’
‘એટલે રાજ કરતાં તમારામાં વધારે બુદ્ધિ છે એમ?’ પટ્ટણી સાહેબનો ધારદાર પ્રશ્ન
આગેવાનો ઉપર છવાઇ ગયો. સૌ અવાચક હતા, ત્યાં ચૌદ વરસનો એક તરુણ
આગળ આવ્યો. પટ્ટણી સાહેબ સામે ઊભા રહીને એણે ઉત્તર દીધો.
‘બુદ્ધિ તો પટ્ટણી સાહેબ, રાજ કરતાં ચારણોમાં વધારે છે પણ લાચાર છીએ.’
‘બોલ, કેવી રીતે?’
‘તમારા જેવા નસીબ અમારી પાસે નહીં ને?’
‘હેં?’ પટ્ટણી સાહેબ થડકી ગયા.
‘હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે
છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક
બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’
‘બોલકો જુવાન’ પટ્ટણી સાહેબ બોલકો શબ્દ તો સાવ બોલવા ખાતર બોલી ગયા બાકી
મન ઊંડાણેથી સાચ્ચો શબ્દ તો ‘બળુકો જુવાન’ જ નીકળ્યો હતો. એકાદ શ્વાસ લઇને
પટ્ટણી સાહેબે પૂછ્યું ‘ક્યાંનો છે તરુણ.’
‘મઝાદરનો’
‘ચારણ છે?’
‘હા જી ભાયા કાગનો દીકરો.’
‘શું નામ?’
‘દુલો-દુલા ભાયા કાગ.’
આગેવાનોએ જોયું કે દીવાન સાહેબ હજીય નાનકડા આ તરુણને તાકી રહ્યા હતા.
ન્યાય મેળવવા માટે રાજધાનીમાં તપ ધરતા આગેવાનોને લાગ્યું કે છોકરાએ કમાલ
કરી છે. આપણને મનમાં હતું કે છોકરો છે ભેગો આવે છે, ભલે આવે, પણ છોકરો
અણધાર્યો નીકળી ગયો. પટ્ટણી સાહેબને જવાબ તો દીધો પણ એવો દીધો કે વિચારે
ચડી ગયા! આવો જવાબ ઘડતા આપણને આખો દિવસ થાય છતાં સરખો બોલાય કે
ન પણ બોલાય. જોજો, આ છોકરો મોટો થઇને જ્ઞાતિના પાણી અંબરે ચડાવશે.
‘માટે અમને ન્યાય આપો?’ તરુણ આગળ વધતો હતો. ‘ન્યાય આપવાનો આપે કોલ
આપ્યો છે.’
‘કોને?’
‘ઉઘાડી રાખજો બારી’ નામની કવિતાને’ અને પટ્ટણીજી બોલે કારવે એ પહેલાં તરુણ
દુલાભાઇએ પ્રભાશંકર રચિત કાવ્ય ગાઇ બતાવ્યું.
‘દુ:ખી કે દર્દ કે કોઇ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવાતમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો
બારી.’
અને પટ્ટણી સાહેબે મોજડીઓ પહેરી. ચારણ સમૂહને ન્યાય અપાવવા બાળરાજવી કૃષ્ણ
કુમારસિંહજી પાસે લાલ બંગલે લઇ ગયા અને ચારણો ખુશ થાય એવો રસ્તો કાઢી
આપ્યો...
‘દુલાભાઇ!’ પટ્ટણીજીએ યુવાનને અમીભરી નજરે જોઇને કહ્યું. ‘મારા જેવું કોઇ પણ
કામ હોય તો જરૂર મળજો.’
સમયને ખબર હતી કે તરુણનું આ ચાંદરણું માત્ર ભાવનગર રાજ્યને નહીં પણ સમગ્ર
ગુજરાતને આવરી લે એવા તેજે તપીને મળવાનું હતું.
Subscribe to:
Posts (Atom)