Monday, May 28, 2012

જીવનનું એક સત્ય

નળ બંધ કરવાથી પાણી બંધ થાય છે પણ ઘડિયાળ બંધ કરવાથી સમય બંધ થતો નથી.

બસ એક પળ

જિંદગી મેં પલ પલ કિયા થા મેને જિસ પલ કા ઇન્તઝાર ,
વો પલ આયા ભી તો પલ દો પલ કે લિયે,
ઔર આકે ચલા ગયા પૂરી જિંદગી ભર કે લિયે,
ના જાણે કયું વો પલ વહી થમ કયું ના ગયા??

સમયનો સદુપયોગ

એક ગામમાં એવો રીવાજ હતો કે ગામના કોઈ વ્યક્તિને એક વર્ષ માટે રાજા બનાવવાનો અને વર્ષ પૂરું થયા બાદ તેને ગામની નદીને પેલે પાર આવેલી બંજર જગ્યાએ મોકલી દેવાનો.વર્ષો વિતતા ગયા ને એક પછી એક જે રાજા બને તે બંજર જગ્યાએ જઈને રીબાઇ રીબાઈ ને મરી જાય. એકવાર રાજા બનવાનો વારો એક સંતનો આવ્યો તેને પોતાની સૂઝ વાપરી અને પોતાના રાજકારણ દરમિયાન પેલી બંજર જગ્યાને હરિયાળી ભૂમિ બનાવી દીધી અને જયારે એક વર્ષ બાદ તેને ત્યાં મોકલવામાં આવ્યો ત્યારે તે ત્યાં જઈને નિરાંતે રેહવા લાગ્યો.
સાર:- આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ જેથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. પેલા સંતે સમયનો સદુપયોગ કરીને બંજર જમીન હરિયાળી બનાવી જેથી તે ત્યાં નિરાંતે પોતાનું જીવન વિતાવી શકે

જેટલો પ્રેમ…

જેટલો પ્રેમ તમારી પાસે થી મળે છે, એટલો વધારે પામવાની ઈચ્છા થાય છે,
પ્રેમ ની વાત તમારી સાથે કરતા ગયા જનમ નો સાથ હોય એવો આભાસ થાય છે,
પહેલી વાર થઇ રહ્યું છે અમારી સાથે આ, કે… પૂનમ ના ચાંદ ને નઝર સમક્ષ જોતા..
તમારો અને બસ તમારો જ ચેહરો મારી નજરો માં કેદ થાય છે….!!

મારા વહાલા દરિયા ને…!!!

આવતું હશે કોઈ તને મળવા માટે,
તું કિનારા પર એટલે જ આવતો હોઈશ,
તારી સામે ઉભેલી એને જોવા માટે,
કેટલા ઉમંગ થી તું ઉછળી ને આવતો હોઈશ,
નહિ આવી હોઈ એ આજે પણ ત્યાં,
એટલે જ ઉદાસ બની ને તું પાછો જતો હોઈશ.